વધતા ચશ્માના નંબર પર રોક લગાવતા Atropine 0.01% ટીપાં

Atropine (0.01%) ટીપાં માયોપિયા (MYOPIA-MINUS POWER GLASS) માટે ઉપયોગી છે.

જે બાળકોને ચશ્માાના માયોપિયા (માઇનસ) નંબર છે તેમના માટે Atropine 0.01% ટીપાં ખૂબ જ અસરકારક છે. આ ઉપરાંત તેમાં Atropine ની માત્રા ખુબજ ઓછી હોવાથી તે હાનીકર્તા નથી.

Atropine કેટલી માત્રામાં હાનીકર્તા નથી ?

Atropine ની માત્રા 1% વધુ અસરકારક હોય છે પણ આ માત્રામાં તે અમુક રીતે હાનીકર્તા છે જેમકે તે આ માત્રામાં પ્રકાશથી સંવેદનશીલતા કરે છે તેમજ નજીકની દ્રષ્ટિને પણ અસર કરે છે.Atropine 0.01% બાળકો માટે તેટલુંજ અસરકારક છે તથા ઉપર મુજબની હાનિકારક અસર કરતા નથી.

Atropine 0.01% અંગે થયેલા સંશોધનો

ATOM2 study of 2012 (Chia et al.): આ સંશોધન અનુસાર હા સંશોધન અનુસાર Atropine ટીપાં અલગ-અલગ માત્રામાં બાળકોમાં નાખવામાં આવ્યા હતા. ત્રણ વર્ષના સંશોધન પછી 0.01 માત્રામાં સૌથી ઓછી હાનિકર્તા અસરો જોવા મળી હતી અને તેથી જ આ માત્રાનો અત્યારે સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે.

માયોપિયા ના દર્દીઓની સદભાવ ક્લિનિકમાં કેવી રીતે સારવાર કરવામાં આવે છે ?

સદભાવ ક્લિનિકમાં અમે અમારા દરેક માયોપિયા ના દર્દીને Preventive Medicine નો કન્સેપ્ટ સમજાવીએ છીએ. આ કન્સેપ્ટ અનુસાર આપણે જો નાની ઉંમરથી જ આ પ્રકારના ટીપાંઓનો યોગ્ય માટે ઉપયોગ કરીએ તો આપણા ચશ્માના નંબર ની વધતી માત્રા અટકે છે અને તેને કારણે મમાયોપિયાથી આંખમાં થતા નુકસાન જેવા કે આંખના પડદાને નુકસાન, આંખ નો પડદો ખસી જવો, નજર ઓછી થઈ જવી વગેરે અટકાવી શકાય છે.

આ ટીપાં નાખતી વખતે શું સંભાળ રાખવી જોઈએ?

Atropine 0.01% એ માયોપિયાની એક નવી જ સારવાર છે. બજારમાં Atropine 1.0% માત્રામાં બહુ જ સરળતાથી મળે છે. પરંતુ આ માત્રામાં વાપરવાના કારણે આપણી આંખની કીકી પહોળી થઇ જાય છે, આપણને નજીકનું ઝાખું દેખાય છે, પ્રકાશ સંવેદનશીલતા વધી જાય છે અને ઘણી વખત શરીરમાં આ ટીપાંનું પ્રમાણ વધવાને કારણે બીજી બધી પણ શારીરિક તકલીફ થઈ શકે છે પરંતુ સંશોધન અનુસાર જો આ ટીપા ૦.૦૧% એટલી માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો એ બહુ જ ઓછી રીતે નુકસાન કરે છે.

તો સૌ પ્રથમ તો તમારે જોવું જોઈએ કે તમે યોગ્ય માત્રામાં જ ટીપાનો ઉપયોગ કરી રહ્યા છો કે નહી.

આ ટીપાં બાળકોની કિકીના કદ તેમજ તેમની નજીકની જોવાની ક્ષમતા ને થોડીક વાર માટે અસર કરી શકે છે તથા તે થોડાક થોડીક બળતરા ઉત્પન્ન કરી શકે છે આજ કારણે આ ટીપા જ્યારે બાળક સૂવાનું હોય એની થોડીક વાર પહેલાં જ મૂકવા જોઈએ.

આ ટીપાંનો કેટલો સમય માટે ઉપયોગ કરવા જોઈએ?

આપણી આંખની આંખનો પૂરેપૂરો વિકાસ થઈ જાય ત્યાં સુધી આ ટીપા વાપરવા જોઈએ. આપણી આંખ નો વિકાસ ૨૦-૨૧ વર્ષની ઉંમર સુધી થતો હોય છે એટલે તમારા ટીપા શરૂ કર્યા હોય ત્યારથી લઈને તમારી ઉંમર વીસ એકવીસ વર્ષની થઈ જાય ત્યાં સુધી આ ટિપાનો ઉપયોગ કરવો જોઈએ.

અત્યારે આ ટિપાનો ૬ થી ૨૧ વર્ષના બાળકો માટે ઉપયોગ કરવામાં આવે છે

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

- compiled & published by Dr Dhaval Patel MD AIIMS



Dedicated for your Smile till your Eyes Shine

We put the smile on your face and the sparkle in your eyes..

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many Eye Camps in Africa and Does visit yearly for the same.