ઝામર (Glaucoma) - illustration 1

ઝામર (Glaucoma)

ઝામર શું છે?

ઝામર/ કાળો મોતિયો/ ગ્લુકોમા (Glaucoma)

Glaucoma ને આપણી ગુજરાતી ભાષામાં “ઝામર” કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં “કાળો મોતિયો” શબ્દ વધુ પ્રચલિત છે.

ઝામર એ આંખની લાંબાગાળાની બિમારી છે જેમાં આંખની નસને નુકસાન થાય છે અને તે ધીરેધીરે નબળી પડીને સુકાઈ જાય છે. આંખની નસ આંખમાંથી દ્ર્શ્યને મગજ સુધી લઈ જવાનું કાર્ય કરે છે.

ઝામરમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતા જોવા મળે છે.

  1. આંખનું દબાણ વધવુ (IOP: Intra Ocular Pressure)
  2. ઝામર (Glaucoma) - ઝામરમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતા જોવા મળે છે.

    આપણી આંખનો આકાર જાળવી રાખવા માટે પ્રમાણસરનું દબાણ હોવું જરૂરી છે જે સામાન્ય રીતે ૧૦-૨૧ mmHg જેટલું હોય છે. “ઝામર” માં આ દબાણ વધી જાય છે જે સરવાળે આંખની નસને નુકસાન કરે છે.

  3. આંખની નસને અસર થવી (Increased Cup-Disc Ratio)
  4. ઝામર (Glaucoma) - ઝામરમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતા જોવા મળે છે.

    ઝામરમાં આંખની નસનું “કપ-ડીસ્ક પ્રમાણઃ Cup-Disc Ratio” વધી જાય છે. સામાન્ય રીતે આ પ્રમાણ ૦.૩-૦.૪ સુધીનું હોય છે.

  5. દ્ર્ષ્ટિ-ક્ષેત્રને અસર થવી (Visual Field Damage)
  6. ઝામર (Glaucoma) - illustration 4

    આપણું દ્ર્ષ્ટિ-ક્ષેત્ર “કાલ્પનિક પર્વતશિખર” જેવું હોય છે, જેમ પર્વત તેના મધ્યભાગેથી સૌથી ઊંચો તથા ધારદાર હોય છે, તે જ રીતે દ્ર્ષ્ટિ-ક્ષેત્ર પણ દ્રષ્ટિ પણ વચ્ચેના ભાગમાં સૌથી વધુ તથા ધારદાર હોય છે. આસપાસના વિસ્તારની દ્ર્ષ્ટિ પણ પર્વતની જેમ છીછરી થતી જાય છે.

    કદાચ જો તમને આ વાત સમજવામાં તકલીફ પડતી હોય તો તમે માત્ર એટલું સમજી લો કે ઝામરમાં તમારું દ્ર્ષ્ટિ-ક્ષેત્ર ધીરેધીરે નાનું થતું જાય છે.

ઝામરના (Glaucoma) પ્રકાર અને સારવાર

ઝામરના મુખ્યત્વે બે પ્રકાર છે.

  • ત્રીવ (ઝેરી) ઝામરઃ (Acute Glaucoma)
  • ધીમો (મીઠો) ઝામરઃ (Chronic Glaucoma)

આંખની રચનાને અનુલક્ષીને પણ ઝામરના અન્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે.

  • ગુરુકોણિક ઝામર (Open Angle Glaucoma)
  • લઘુકોણિક ઝામર (Close Angle Glaucoma)

ઝામરની સારવાર

બંને પ્રકારના ઝામરની પ્રાથમિક સારવાર જુદી છે અને તેથી જ બંને વચ્ચેનો ફરક પારખવો જરુરી છે. ગુરુકોણિક ઝામર (Open Angle Glaucoma) માટે ઝામર-વિરોધી ટીપાંઓ શરુ કરવામાં આવે છે જ્યારે લઘુકોણિક ઝામર (Close Angle Glaucoma) માટે શરૂઆતમાં લેસર વડે એક છીદ્ર બનાવવામાં આવે છે અને ત્યારબાદ જરૂરી જણાય તો ઝામર-વિરોધી દવાઓ શરુ કરવામાં આવે છે.

કોઈ પણ પ્રકારના ઝામરમાં જો તે ટીપાંઓ વડે કાબૂમાં ન આવે તો તેની શસ્ત્રક્રિયા કરવી જરૂરી બની જાય છે.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

Considering treatment? Read about Glaucoma Treatment at Sadbhaav or book a consultation.

Written by Dr. Dhaval Patel, MD (Ophthalmology, AIIMS New Delhi)

Consultant, Cataract & Refractive Surgery — first AIIMS-trained ophthalmologist practicing in Ahmedabad. Read full credentials & experience or view his 28 publications on ResearchGate.


Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.